ગઇ કાલે IPL ની 3જી સિઝન માટે ક્રિકેટરોની હરાજી થઇ. આ હરાજીમાં મને ખાલી એક જ વસ્તુમાં રસ હતો કે પાકિસ્તાનના ખેલાડીઓને કોઇ ખરીદે છે કે નહીં અને ખરીદે છે તો કોણ ખરીદે છે? કાલે ખેલાડીઓની હરાજી પત્યા બાદ ખબર પડી કે પાકિસ્તાનના કોઇ ખેલાડીને ખરીદવામાં નથી આવ્યો ત્યારે સાચું કહું તો દિલમાં આનંદની લાગણી થઇ. પાકિસ્તાન જે કારનામા ભારત સાથે કરી રહ્યું છે એ જોતા પાકિસ્તાનના ખેલાડીઓને “No Entry” બતાવવા સિવાય કોઇ છૂટકો નથી. IPL એ હવે વૈશ્વિક સ્તરની લીગ છે અને પાકિસ્તાનને આ જ રીતે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર isolate કરવામાં આવે તો જ પાકિસ્તાનને ખ્યાલ આવશે કે હવે એમના પ્રપંચો વધારે નહીં ચાલી શકે. પાકિસ્તાનને એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે એનું પોતાનું કોઇ વજૂદ નથી અને અમેરિકા અને બીજા દેશોની દયા પર એ જીવી રહ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આમ પણ નાદારીના આરે છે. કોઇ દેશ પાકિસ્તાનમાં નજીકના ભવિષ્યમાં તો ક્રિકેટ રમવા જઇ શકે એ શક્ય જ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે એમના ક્રિકેટરોને મહેનતાણા પેઠે આપવાના પૂરા રૂપિયા પણ નથી. પાકિસ્તાનના ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં જે કંગાળ દેખાવ કર્યો છે એ જોતા તો એમ જ લાગે કે ભાગ્યે જ કોઇ ખેલાડીઓને પાકિસ્તાન તરફથી રમવામાં રસ હોય. દરેક ખેલાડીઓને IPL જેવી લીગમાં રમીને પૈસા કમાવા છે. આ વખતની હરાજીમાં જ્યારે પહેલી વખતની યાદીમાં પાકિસ્તાનના ખેલાડીઓનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો ત્યારે ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર દબાણ કરીને પોતાના નામોને આખરી યાદીમાં ધકેલાવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અને એના ખેલાડીઓની આવી દયનીય હાલત છે છતા પણ એ લોકો હવામાં જ ઉડતા હોય એવું લાગે છે જે નીચેની પ્રતિક્રિયાઓ પરથી સ્પષ્ટ થાય છે :
1. શાહીદ અફ્રીદી કહે છે,
THE WAY I SEE IT, THE IPL AND INDIA HAVE MADE FUN OF US AND OUR COUNTRY. WE ARE T20 WORLD CHAMPS AND FOR ME THE ATTITUDE OF THE FRANCHISES WAS DISAPPOINTING. I feel bad for the Indian people who, I am sure, wanted to see us play in the IPL this year.
શાહીદભાઇ એમાં આવું કહેવાનું થોડી હોય કે તમારી મજાક ઉડાવાય છે એ તો સમજી જવાનું હોય્ समजदार को इशारा काफी. તમને તમારા વિશ્વ વિજેતા થવાનું ગૌરવ હોય તો ભલે અમને એનાથી કોઇ ફરક નથી પડતો. વળી તમે ચિંતા ના કરો તમે નહીં રમો તો અમને જરા પણ દુખ નહીં થાય.
વળી પાકિસ્તાનના એક અગ્રણી અખબારના લેખ મુજબ શાહીદભાઇ તો એમ કહે છે કે
We applied for the IPL only on their insistence and not on our own.
http://www.dawn.com/wps/wcm/connect/dawn-content-library/dawn/news/cricket/08-ipl-auction-shuns-pakistan-stars-ts-04
જો વાત એમ જ હોય તો પછી જ્યારે કોઇએ તમને ખરીદ્યા નહીં તો દુખી શા માટે થઇ ગયા?
2. સોહેલ તન્વીર કહે છે,
They mean to say none of our players are good enough to be in the IPL. I am sorry to say the franchises have taken a decision not based on cricketing sense but on political grounds, which is a shame and has hurt the image of the sport
સોહેલભાઇ ક્રિકેટ સેન્સ કરતા દેશદાઝની સેન્સ હોવી વધૂ જરૂરી છે. તમને ના રમવા બોલાવ્યા એમાં અમારે શરમાવું શું કરવા? અમે તમારી જેમ તો નથી કે તમારે ત્યાં રમવા આવેલા ક્રિકેટરો પર આતંકવાદી હૂમલા કરાવીએ. સોહેલભાઇ જ્યારે શ્રીલંકાના ખેલાડીઓ પર હૂમલો થયો હતો પાકિસ્તાનમાં ત્યારે તમને શરમ નહોતી આવી કે પછી ત્યારે રમતની ઇમેજ ખરાબ નહોતી થઇ?
3. પાકિસ્તાનના રમત મંત્રી ઇજાઝ જકરાની કહે છે,
I am surprised and disappointed at the way we have been treated. It is not a good sign for improving and enhancing sporting ties between the two countries
જકરાની સાહેબ ભારતની ટીમ પાકિસ્તાન સાથે નહીં રમે તો ભારતને કોઇ ફરક નથી પડતો. જો તમને સંબંધો સુધારવાની આટલી જ તાલાવેલી હોય તો આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરો. સંબંધો આપો આપ સામાન્ય થઇ જશે.
વળી આ ભાઇ આપણા રમત મંત્રીને ફોન કરીને ફરિયાદ કરે છે કે અમને કેમ અપમાનિત કર્યા? ભીખ માંગવાની એ પણ હક્કથી. જો આટલું ખોટું લાગતું હોય તો સિઝન 3 શું કરવા કોઇ પણ સિઝનમાં તમારા ખેલાડીઓને રમવા ના મોકલતા.
4. અબ્દુલ કાદીરે તો બુધ્ધિનું દેવાળું કાઢ્યું હોય એવું નિવેદન આપ્યું. એ કહે છે,
PCB should organised its own league.
If need arises we should hold this league even at a neutral venue and try to invite as many Indian players as possible to give out a clear message we don’t mix sports with politics.
કાદીર સાહેબ જો હોય દમ તો કરો ચાલુ PPL કોણ રોકે છે તમને? જોઇએ કોણ આવે છે રમવા. કાદીર ભાઇ બોલતા પહેલા શું બોલો છો એ તો વિચારો. બકવાસ કરવાનો કોઇ મતલબ છે.
4. જાવેદ મિંયાદાદ જે હમેશા ભારત વિરોધી વલણ ધરાવે છે એ કહે છેૢ
It’s nothing less than humiliation, not only of our cricketers but the whole nation
When we call IPL an ICC approved tournament, it should mean that at least all the test playing countries will get a substantial representation in the event
જાવેદભાઇ કોણે કહ્યું હતું કે અપમાનિત થવા આવો તમે? IPL એ Indian Premier League છે જે ICCના ધારા ધોરણો મુજબ રમાય છે પણ આ કોઇ ICC માન્યતા પ્રાપ્ત tournament નથી. ICC કોઇ પણ દેશના ખેલાડીને રમવા કે ના રમવા દેવા દબાણ ના કરી શકે. જાવેદભાઇ મારે આ વાત તમને સમજાવવી પડે બહુ કહેવાય.
5. ઝહીર અબ્બાસે આ વિશે વ્યક્તવ્ય આપ્યું એ મને એકદમ યોગ્ય લાગ્યું.
if the Pakistan board felt the Indians had done wrong then they should announce a complete boycott of ties with India.
Our players and officials should also not go to India for any reason. But if we want a betterment of ties with India then we should just keep quiet.
ઝહીરભાઇ એકદમ સાચી વાત. જો દમ હોય તો બોયકોટ કરો અને પછી જીવી બતાવો. માંગવું હોય તો બાપ થઇને તો ના જ મંગાય ને? મને લાગે છે કે પાકિસ્તાની પ્રજા હવે એમ માનવા લાગી છે કે ભીખ મેળવવી એ એમનો જન્મસિધ્ધ હક્ક છે.
http://cricket.rediff.com/report/2010/jan/19/pakistan-cricketers-angy-over-ipl-snub.htm
http://www.deccanherald.com/content/47831/pcb-take-up-ipl-snub.html
વળી એક વાત એ પણ છે કે ગઇ સિઝનમાં પાકિસ્તાનના ખેલાડીઓને પાકિસ્તાનની સરકારે જ રમવાની પરવાનગી નહોતી આપી અને આ વખતે હવે હક્ક કરીને રમવા આવવું છે, આ કેવું? ભાઇઓ IPL એ કોઇ તમારા બાપદાદાની કંપની નથી કે તમે એમાં જ્યારે મન ફાવે ત્યારે આવો અને મન ફાવે ત્યારે ના આવો. આજ ન્યાયે આ વખતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને પણ હાંસિયે મૂકી દેવામાં આવ્યા છે. જો કે એ લોકો આ વાતને લઇને કોઇ કકળાટ નથી કરતા તો તમે શું કરવા કકળાટ કરો છો?
આ આખા ઘટનાક્રમમાં બે વસ્તુઓ મને ગમી.
1. દેશદાઝ, business driven decision કે બીજું કોઇ પણ કારણ હોય પણ ફ્રેંચાઇઝીઓએ પાકિસ્તાનના ખેલાડીઓને પસંદ ના કર્યા.
2. હરાજીમાં મૂકવામાં આવેલા ભારતના એક માત્ર ખેલાડી મોહમ્મદ કૈફને 2.5 લાખ ડોલરમાં લેવામાં આવ્યો. બહારના દેશ વાળા ગજવા ભરી ગયા ને આપણા દેશવાળા જોતા રહી ગયા એવો ઘાટ ના થયો એ ગમ્યું.
Filed under: ક્રિકેટ, રોજનીશી, સાંપ્રત પ્રવાહો | Tagged: ઓહેલ તંવીર, ક્રિકેટ, જાવેદ મિંયાદાદ, ઝહીર અબ્બાસ, પાકિસ્તાન, મો હમ્મદ કૈફ, શાહીદ અફ્રીદી, FRANCHISES, IPL | 1 Comment »