બોમ્બ વિસ્ફોટો અને નિર્માલ્ય સરકાર

ગઇકાલે દિલ્હીમાં 5 બોમ્બ વિસ્ફોટ અલગ અલગ જગ્યાએ થયા જેમાં આ લખું છું ત્યાં સુધીમાં 22 લોકો મૃત્યુ પામ્યા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં બોમ્બ ફૂટવા એ તો સામાન્ય બાબત છે. આમ આદમી મરતા રહે, કોને પડી છે આમ આદમીની? જ્યારે પણ વિસ્ફોટો થાય ત્યારે સરકાર તરફથી ફાલતુ નિવેદનો આવે છે અને પછી બધું ભૂલી જવાનું. કાલે પણ આપણા ગૃહપ્રધાને બોમ્બ વિસ્ફોટો બાદ નીચે મુજબ નિવેદન આપ્યું.

It is a cowardly act by those who don’t want us to live in peace. The people behind this act will be given stringent punishment according to the law.”

“We have just overcome the difficulties (of the previous blasts) and these cowardly people have hit us again. But I would appeal to people to stay together and not create panic.”

કેવું સાહસિક નિવેદન? “વિસ્ફોટો કરનારને કાયદા મુજબ સખ્ત સજા કરવામાં આવશે.” પણ પહેલાં પકડો તો ખરી પછી સજા કરવાની વાત કરો. કેવો ભવ્ય ભૂતકાળ છે આપણો. અત્યાર સુધી જેટલા પણ વિસ્ફોટો થયા છે અલગ અલગ શહેરોમાં એમાં અમદાવાદ વિસ્ફોટો સિવાય કોઇ પણ કેસ સરકાર સોલ્વ કરી શકી નથી અને આ સરકાર શું જોઇને આવા નિવેદનો આપતી હશે.

લોકોને ના ડરવાની સલાહ આપવી સહેલી છે. આમ આદમીને ના ડરવાની સલાહ આપવાની અને પોતે ઝેડ કેટેગરીની સિક્યુરીટી સાથે ફરવાનું. જો તમને ડર ના લાગતો હોય તો તમે પણ ફરો આમ આદમીની માફક અને કોઇ ઉડાવી દે તો પણ વાંધો નથી, દેશનું જ ભલું થશે એમાં.

Leave a comment