Voted for very first time in life… feels good to do my small part for the nation
Filed under: રોજનીશી | Tagged: चुनाव, दाग, वोट | 2 Comments »
Voted for very first time in life… feels good to do my small part for the nation
Filed under: રોજનીશી | Tagged: चुनाव, दाग, वोट | 2 Comments »
આજકાલ મોટા ભાગના માતા પિતાની આ ફરિયાદ હોય છે કે છોકરાઓ એમનું સાંભળતા નથી. આવું કેમ? શું આજકાલના છોકરાઓની શ્રવણશક્તિ ઓછી હોય છે? શું આજકાલના છોકરાઓના કાન કામ ઓછા કરે છે એટલે તેઓ માબાપનું કહેલું નથી સાંભળી શકતા?
જવાબ છે હા… આજકાલના છોકરાઓના કાન ઓછા કામ કરે છે પણ એમની આંખો સતેજ હોય છે.
આપણે જે વિષયવસ્તુનું પાલન કે અનુકરણ આપણા છોકરાઓ પાસે કરાવવું હોય એ અનુકરણ પહેલા આપણે એમની સામે કરીને બતાવવું જોઇએ. જો મા બાપ આ વાત સમજી જશે તો વહેલા કે મોડા એમની આ છોકરાઓ એમનું ના માનતા હોવાની સમસ્યા આપોઆપ દૂર થઇ જશે. છોકરાઓ સાંભળવા કરતા જે જુએ છે એમાંથી વધૂ શીખે છે.
આજે સંબંધોમાં વિનય વિવેક ભૂલાતો જાય છે. મા બાપ છોકરાઓની હાજરીમાં જ બીજા સાથે અવિનય કરતા હોય તો તેઓ છોકરાઓ પાસેથી તેમના તરફ વિવેકપૂર્વકના વર્તનની આશા કઇ રીતે રાખી શકે? મા બાપ જ જો નવરા પડતા ટીવી સામે ગોઠવાઈ જતા હોય અને પછી છોકરાઓને ટીવી ના જોવાની સલાહ આપતા હોય તો આજકાલના છોકરાઓ મા બાપને રોકડું પરખાવ્યા વગર રહેશે? આવા અનેક ઉદાહરણો આપી શકાય કે જેમાં છોકરાઓની ફરિયાદ કરવા કરતા મા બાપે પોતે સુધરવાની જરૂર છે. પણ પૈસામાં જ સુખ અને સુરક્ષા માનનારા આજના જમાનાના લોકોને આ વાત ગળે ઉતરવી તો દૂર પણ એનો અહેસાસ થવો પણ અશક્ય છે.
(મારે પણ બસ આ વસ્તુને સમજી લેવાની અને અનુકરણ કરવાની જરૂર છે)
Filed under: રોજનીશી, Note To Self | Tagged: અવિવેક, ફરિયાદ, વિનય, સંસ્કાર | 1 Comment »
Few years back I had read the article “Rent a womb” (perhaps in “India Today” don’t remember exactly which magazine). I came to know about the word “Surrogacy” for the first time then. After reading that article, I was under impression that it is too complicated a process and won’t get social acceptance (at least in India). But I was proved wrong. Today the service of “renting a womb” has become a full blown business for seller and a matter of convenience or style statement of sort for buyer.
Current edition of “India Today” magazine carries interesting article titled as “Baby Factory” on surrogacy and surrogate mothers. The article talks about “The sat Kaival Hospital & Akanksha Fertility Clinic” located in Anand, Gujarat. As per the article this clinic alone has produced (word “produced” will be bit rude but apt) 500 surrogate babies so far and per month they produce around 30 surrogate babies. After reading the article, I can’t stop thinking like whether surrogacy is boon or bane? Here are my thoughts :
Why Surrogacy is boon?
Why Surrogacy is bane?
So all n all to me, it looks like surrogacy is more like bane then boon. Advancement in medical science has given this wonderful option to couples but use of this option should be measured and on need basis only rather then using it for convenience.
In India, bollywood bigwigs Aamir Khan and Shahrukh khan have started the trend by choosing the options of having surrogate babies. As far as I understand, in both the cases, it was just convenience rather than any physical disabilities which drove them to opt for surrogate baby. I’m afraid people who follow these khans as their role models will also start choosing surrogacy option as a matter of convenience and style statement.
At last in my personal opinion, I would like to say journey of parenthood is worth enjoying. Treat your babies has human rather than shopping material.
For those interested, full article of India today put up below in form of images :
Filed under: રોજનીશી, English | Tagged: Aamir Khan, India Today, IVF, Reant a womb, ShahRukh Khan, Surrogacy | 3 Comments »
લગભગ બે અઠવાડિયા પહેલા મુંબઇના 1993માં થયેલા બોમ્બધડાકાને સંબંધિત સર્વોચ્ચ ન્યાયાલયનો આખરી ચૂકાદો આવ્યો. સાથે સાથે સર્વોચ્ચ ન્યાયાલયે ગેરકાયદેસર રીતે ઘાતક શસ્ત્રો રાખવાના આરોપી સંજય દત્તના મામલાનો પણ ચૂકાદો આપ્યો. ન્યાયાલયે સંજય દત્તને 5 વર્ષની સજા ફરમાવી છે અને ત્યારથી જ આપણા મિડીયા, કહેવાતા બુધ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષતાની દુકાન ખોલીને બેઠેલા આપણા રાજકારણીઓ સંજય દત્તને માફી અપાવવાનો અને એને બાપડો બિચારો ચીતરવાનો શરૂ કરી દીધું છે. નિવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ તો આ બાબતે બૌધ્ધિક નાદારી જ નોંધાવી દીધી છે. સંજય દત્તને માફી આપવા માટે અમુક દલીલો કરવામાં આવી રહી છે જેમ કે
1. સંજય દત્ત બચરવાળ માણસ છે.
આ હિસાબે તો કોઇ પણ પરણીત પુરૂષને સજા કરી જ ન શકાય.
2. સંજય દત્તે સિનેમાના પડદે રાષ્ટ્રપિતા ગાંધીજીના વિચારોને ચરિત્રીત કર્યા છે.
જો આ જ તર્ક હોય તો "વાસ્તવ"માં રધુને "ખલનાયક"માં બલ્લુને અને "અગ્નિપથ"માં કાંચા ચીનાને ચરિત્રીત પણ આ જ સંજય દત્તે કર્યા છે.
3. સંજય દત્ત પર 20 વર્ષથી કેસ ચાલી રહ્યો છે અને આ દરમ્યાન માનસિક રીતે સંજય દત્તે ઘણું સહન કર્યું છે અને એટલે એને માફી આપવી જોઇએ.
આપણા દેશની ઢીલી ન્યાયિક પ્રક્રિયાની બધાને ખબર છે. આખી જીંદગીની કમાણી હોમી દે ન્યાય મેળવવા માટે તો પણ જીવતે જીવ લોકો ન્યાય નથી મેળવી શકતા. ફાંસીના માંચડે ચઢવાની રાહ જોતા અથવા તો તેમના કેસનો ચૂકાદો આવવાની રાહ જોતા કેટલાય લોકો વર્ષો વર્ષથી જેલમાં સબડી રહ્યા છે. રાજીવ ગાંધીના હત્યારાઓ સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી પણ 20 વર્ષથી જેલમાં ફાંસીની રાહ જોઇ રહ્યા છે. આ જોતા સંજય દત્તે તો ખાલી 1.5 વર્ષ જ આ 20 વર્ષમાંથી જેલમાં વિતાવ્યા છે અને બાકીના વર્ષો તો એની ઉચ્ચ જીવન શૈલીમાં જ વિતાવ્યા છે.
4. સંજય દત્તના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે.
પરિવારે દેશ માટે શું કર્યું એ મને તો ખબર નથી પણ મારી અજ્ઞાનતાથી પર પણ જો દત્ત પરિવારે દેશ માટે કંઇ કર્યું હોય તો એની કિંમત દેશે માફીનામા થકી ના ચૂકવવાની હોય.
5. સંજય દત્તે માસૂમિયતમાં આ ભૂલ કરી લીધી હતી અને હવે એ એકદમ બદલાઇ ગયો છે.
મોટા ભાગના લોકો ભૂલો માસૂમિયતમાં અથવા તો ગુસ્સામાં આવીને કરતા હોય છે. કસાબ જેવા લબરમૂછિયાએ પણ નાદાનિયતમાં જ બંદૂક ઉઠાવીને હેવાનિયત આચરી હતી તો શું એને પણ માફ કરી દેવો? જે ભૂલ કરી હોય એ ભોગવ્યા વગર છૂટકો જ નથી.
આવા બધાં કારણો આપી સંજય દત્તને માફી અપાવવાના કારસા ઘડાઇ રહ્યા છે પણ મારા મતે કોઇ પણ કારણ ગળે ઉતરે એવા નથી. મને તો એમ થાય છે કે કાત્જુથી માંડી અમરસિંહ, જયાપ્રદા, (ડોગી) દિગ્વિજય સિંહ જે લોકો સંજય દત્તના માફીનામા માટે ધમપછાડા કરી રહ્યા છે એ બધા પર સર્વોચ્ચ ન્યાયાલયની માનહાનિનો દાવો માંડી દેવો જોઇએ.
આપણા દેશના લોકો બહુ લાગણીશીલ છે. બુધ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષતાની હાટડીઓ ખોલીને બેઠેલા આપણા રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે લોકોની લાગણીઓ સાથે રમત રમીને કસાબ, અફઝલ ગુરૂ જેવા ખૂંખાર ગુનેગારો માટે પણ લોકોના મનમાં સહાનુભૂતિ પેદા કરી દેતા હોય છે. સર્વોચ્ચ ન્યાયાલય પોતાનો ચૂકાદો આપી દે તો પણ આપણા રાજકારણીઓ વર્ષો સુધી આ ચૂકાદાનો અમલ ના કરી એના પર ગંદી રમતો રમતા હોય છે.
સંજય દત્ત નિર્દોષ તો નથી જ એ ન્યાયાલય દ્રારા પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. સંજય દત્ત પોતે પણ પોતાના ગુનાને સ્વિકારી ચૂક્યો છે. 20 વર્ષમાં એણે પસ્તાવો કર્યો કે ના કર્યો એ બદલાઇ ગયો છે કે નહીં એ તો દત્ત અને એને ઓળખનારા માણસોને જ ખબર હોય પણ કાયદાની નજરમાં એ ગુનેગાર છે અને એ ગુનાની સજા એણે ભોગવવી જ રહી.
આજે સવારે સંજય દત્તે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એ ન્યાયાલના ચૂકાદાનું સમ્માન કરશે અને થયેલી સજા ભોગવવા તૈયાર છે અને એ કોઇ માફી માટે અરજી કરવા નથી માંગતો. સંજય દત્તના આ નિવેદન પછી પણ કાત્જુભાઇને હજી જપ નથી વળતો અને કહે છે કે ભલે સંજય દત્તને માફી ના જોઇએ તો પણ હું તો એને માફી આપવા માટે અરજી કરવાનો છું. કાત્જુભાઇને ખાલી એટલું જ કહેવાનું કે "છોગાળા હવે તો છોડો….. " 🙂
સંજય દત્ત બાકીની સજા ભોગવીને સમાજ અને દેશ માટે એક સરસ ઉદાહરણ પૂરું પાડે એ બદલ શુભેચ્છાઓ….
Filed under: રાજકારણ, રોજનીશી | Tagged: કાત્જુ, દિગ્વિજય સિંહ, ન્યાય, ન્યાયાલય, બુધ્ધિજીવી, રાજકારણી, સંજય દત્ત | 2 Comments »
આજે ઓફિસમાં મારા એક સહકર્મચારી સાથે હું અમસ્તો જ વાત કરી રહ્યો હતો. એ ભાઇ સિંગાપોરના નાગરિક છે. વાત વાતમાં એ ભાઇએ મને પૂછ્યું કે તમે ભારતમાં કઇ જગ્યાએથી છો? મેં કહ્યું કે ગુજરાતથી અને પૂછ્યું કે તમે આ રાજ્ય વિશે સાંભળ્યું છે. એણે મને કહ્યું કે ના એણે ગુજરાત વિશે સાંભળ્યું નથી. મેં એમને કહ્યું કે જો તમે ભારત વિશેના સમાચાર વાંચતા હો તો તમને ગુજરાત વિશે ખબર હોવી જ જોઇએ અને ગુજરાત વિશે ખબર ના પણ હોય તો પણ અમારા ગુજરાતના નેતા (એટલે કે નરેન્દ્ર મોદી) વિશે ખબર હોવી જ જોઇએ. આ સાંભળી એ ભાઇએ મને વળતો પ્રશ્ન પૂછ્યો કે એવું શું છે એ નેતામાં બહુ મોટા ભ્રષ્ટાચારી છે કે બહુ મોટા કૌભાંડો કર્યા છે? આ સવાલ સાંભળીને બે ઘડી હું સ્તબ્ધ થઇ ગયો.
દુ:ખની વાત છે પરંતુ એકદમ સત્ય વાત છે કે હાલની સરકારે ખૂબ મહેનત કરીને આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની એક કૌભાંડી દેશ તરીકેની છાપ ખૂબ પાકી કરી દીધી છે. આ ખરેખર શરમજનક વાત છે.
આજે સવારે જ વાંચ્યું કે DMKના નેતાના ત્યાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ સમાચાર વાંચીને વિચાર આવે છે કે સરકાર જે કાર્યદક્ષતાથી CBIનો ઉપયોગ પોતાની ખખડેલી સરકાર બચાવવા માટે કરે છે એટલી જ કાર્યદક્ષતાથી CBIનો ઉપયોગ જો ભ્રષ્ટાચારના કેસોમાં પણ કરે તો કેટલુ સારુ……
Filed under: રોજનીશી | Tagged: ભ્રષ્ટાચાર, સરકાર, CBI, DMK | 2 Comments »
આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મ કરો ફળની આશા ના રાખો. વાત છે સાચી પણ અંગત જીવનમાં એટલી નિસ્પૃહતા લાવવી સહેલી નથી. કરેલા કર્મનું વાંચિત ફળ ના પણ મળે તો પણ કરેલા પ્રયત્નોની કદર થાય એ માનવસહજ અપેક્ષા તો રહેવાની જ. જો એમ સવાલ પૂછાય કે નોકરીમાં તમારી કંપનીએ તમારા પ્રયત્નોની કદર કરી કે નહીં એ કંઇ રીતે જાણવું તો મોટા ભાગના લોકોનો એક જ જવાબ હોય કે તમને કેટલો ભાવવધારો કે બોનસ મળ્યું એના પરથી કેટલી કદર થઇ એ ખબર પડે. જો કે આ સિવાય પણ સવાલનો બીજો એક જવાબ પણ છે જેની મને કાલે જ ખબર પડી.
ગઇ કાલે રાત્રે અમારી કંપની તરફથી એશિયા પેસિફિક ક્ષેત્રની ઓફિસો માટે Awards’ Nightનું આયોજન કરાયું હતું. પુરસ્કાર સમારંભનો મુખ્ય હેતુ તકનિકી કાર્યક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ દ્રારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવાનો અને કર્મચારીઓને વધૂ ને વધૂ innovative કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. (કોઇ કંપની પોતાના કર્મચારીઓ માટે આવા પુરસ્કાર સમારંભો કરે એ મારા માટે નવી વાત હતી) પુરસ્કાર સમારંભમાં નીચેની પુરસ્કાર શ્રેણીઓ હતી :
1. Individual innovation award
2. Team innovation award
3. Outstanding Engineer award
4. Patents award
હવે મુખ્ય વાત. આ પુરસ્કાર સમારંભમાં મારી પણ લોટરી લાગી અને મને પણ પુરસ્કાર મળ્યો. જીવનમાં પહેલી વખત પુરસ્કાર જેવું કંઇ મળ્યું એટલે આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે. (છેવટે શિષ્યવૃત્તિથી પુરસ્કાર સુધી પ્રગતિ થઇ) મને આવો કોઇ પુરસ્કાર મળશે એવી ખબર જ નહોતી એટલે જ્યારે મંચ પરથી મારું નામ જાહેર થયું ત્યારે મને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું. કોઇ award acceptance speech આપવાની નહોતી એ સારુ હતું નહીં તો ખબર નહીં હું શું બોલ્યો હોત.
મળેલા પુરસ્કારની તસ્વીર
એમ થાય છે કે ઘરે હવે પુરસ્કારો મૂકવા માટે એક અલગ કબાટ લઇ જ લઉં 🙂
લગભગ 10 વર્ષ પછી ગળે પટ્ટો બાંધવા મળ્યો એટલે એ સભ્ય પહેરવેશમાં એક ફોટો તો લેવો જ રહ્યો.
પૂરી નમ્રતાપૂર્વક પુરસ્કારની સ્વિકૃતિ
જ્યારે પુરસ્કાર થકી તમારી સરાહના થતી હોય ત્યારે એક વાત નમ્રતાપૂર્વક માનવી રહી કે તમારી સફળતામાં તમારી ટીમના સભ્યોનો પણ મોટો હાથ હોય છે એટલે મારી સફળતામાં પણ મારી ટીમના સભ્યોનો સિંહફાળો છે જ અને એ બદલ સૌ ટીમના સભ્યોનો આભાર.
દરેક મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓના મનોબળને ઉંચું રાખવા અને તેમને સતત નવું કરવા માટે પ્રેરિત કરવા આવા પુરસ્કાર સમારોહ કરવાનું વિચારવું જોઇએ. આખરે પૈસા જ માણસને કાયમ ખુશ નથી રાખી શકતા.
Filed under: રોજનીશી | Tagged: Award, Awards' Night, પુરસ્કાર, Innovation, Patent | 6 Comments »
લગભગ પાંચ મહિના પછી આજે બ્લોગ પર કંઇક લખી રહ્યો છું. પળે પળે બદલાતા રહેતા આજના જમાનામાં પાંચ મહિનાનો સમય બહુ લાંબો કહેવાય. પાંચ મહિનામાં સિંગાપોર રિવરમાં ઘણા પાણી વહી ગયા :). દેશ અને દુનિયા બદલાતી ચાલી અને અંગત રીતે પણ જીવનમાં પણ ચડ ઉતર થતી રહી. આ પાંચ મહિનાઓનું સરવૈયું મારા મતે નીચેના મૂદ્દાઓમાં આવી જાય :
1. “દામિની”ના આખા ઘટના ક્રમે દેશની મહિલાઓમાં નિરાશા અને ભયને સ્થાપી દીધો તો બીજી તરફ 12 પાસ મહિલા સનમીત કૌરે 5 કરોડ રૂપિયા જીતીને દેશની મહિલાઓ સમક્ષ એક ઉદાહરણ આપીને આશાનો સંચાર કર્યો.
2. એક વાત હવે પાકી થતી જાય છે કે ભારતમાં લોકશાહીના બદલે MOBશાહી (એટલે કે ટોળાશાહી) આવી ગઇ છે. જ્યાં સુધી સરકાર પર ટોળાશાહી કરી દબાવ ના લાવો ત્યાં સુધી સરકારના પેટનું પાણી નથી હાલતું.
3. મહારાષ્ટ્રના સિંહ બાળા સાહેબ ઠાકરેએ વિદાય લીધી તો નરેન્દ્ર મોદીએ પોતાની વિજયી હેટ્રીક થકી ગુજરાતના સિંહ તરીકેની ઇમેજને વધૂ મજબૂત બનાવી દીધી. મોદી સાહેબની ગાડી દિલ્હી સુધી પહોંચે છે કે નહીં એ આવનારો સમય બતાવશે પણ બદલાવનો એક આશાવાદ એમના થકી જરૂર ઉભો થયો છે. પરંપરાગત જાતિવાદથી ઉપર ઉઠીને ગુજરાતની પ્રજાએ જે રીતે મતદાન કર્યું એ માટે ગુજરાતની પ્રજા ખરેખર અભિનંદનને પાત્ર છે.
4. પાકિસ્તન જેવા હરામી દેશ પાસેથી શાંતિ અને ભાઇચારાની આશા રાખવી એ પોતાની જાતને ઉલ્લુ બનાવવા જેવી અને પોતાના જ પગ પર કુહાડી મારવા જેવી વાત છે.
5. પાંચ મહિનામાં અંગત રીતે ચડ ઉતર થતી રહી. અમુક ઘટનાઓ એવી બની કે જે દિલોદિમાગ પર હંમેશ માટે એના ઉઝરડા છોડી ગઇ પણ જીંદગીનું ચક્ર ચાલતુ રહે છે અને સમય દરેક ઘાને રુઝવવાનો પ્રયત્ન કરતો રહે છે.
6. ત્રણ મહિનાની ખંતપૂર્વકની મહેનત બાદ PMPની પરીક્ષા પાસ કરી લીધી એટલે હવે Krunal Chavda PMP,CSM એ રીતે નામ લખી શકાશે. આ પરીક્ષા પાસ કર્યા બાદ લાગે છે કે વધૂને વધૂ પરીક્ષાઓ આપવી જોઇએ અને વધૂને વધૂ જ્ઞાન મેળવતા રહેવું જોઇએ.
7. 2012નું વર્ષ એકંદરે સામાન્ય અને કંઇક અંશે પીડાદાયક રહ્યું. અમુક ઘટનાક્રમોને નજરમાં રાખતા 2013નું વર્ષ જીંદગીનું સૌથી મહત્ત્વનું વર્ષ હોય એવું લાગી રહ્યું છે. અંગત રીતે આ વર્ષ પાસેથી ઘણી આશાઓ છે અને વંઠેલી જીંદગીને કાબૂમાં રાખવાનો ભરસક પ્રયત્ન કરવો છે.
પાંચ મહિનાના બ્લોગજગતના વનવાસ દરમ્યાન અમુક મિત્રોએ વનવાસની નોંધ લીધી અને અંગત રીતે ખબરઅંતર પૂછ્યા એ બદલ એમનો આભાર. ઘણા બધાં ગુજરાતી અને અંગ્રેજી બ્લોગ કે જે હું નિયમિત રીતે વાંચુ છું એ ફરીથી વાંચવાની શરૂઆત કરવાની છે અને મારી રોજનીશીમાં વધૂ પાના ઉમેરવા છે.
અંતમા સર્વેને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ….
Filed under: રોજનીશી | Tagged: ટોળાશાહી, દામિની, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, મકરસંક્રાંતિ, PMP | 6 Comments »
આજે દેશ ગુજરાતની વેબસાઇટ પરની પોસ્ટમાં નરેન્દ્ર મોદીનું આ વ્યકત્વ્ય સાંભળ્યું.
નરેન્દ્ર મોદી એક સારા વક્તા છે એ નિ:શંક છે પણ મને આ વ્યકતવ્ય અત્યાર સુધી સાંભળેલા એમના વ્યક્તવ્યોમાં સૌથી વધૂ સારુ લાગ્યું. નરેન્દ્ર મોદી સારા કે ખરાબ, કોમવાદી કે ધર્મનિરપેક્ષ, ભ્રષ્ટાચારી કે બોલ બચ્ચન આ બધા પૂર્વગ્રહોને બાજુમાં મૂકીને આ વિડીયો જોવા જેવો છે. સારો નેતા કોને કહેવાય એ આ વિડીયો જોયા બાદ તમને ખ્યાલ આવી જશે. અમુક વાતો આ વિડીયોમાં નરેન્દ્ર મોદી એ એકદમ સચોટ કહી છે.
1. જ્યારે માણસને લાગવગશાહી કે ખિસ્સા કપાયા વગર નોકરી મળી હોય તો એ બીજાના ખિસ્સા કાપતા પહેલા વિચાર કરે. (આડકતરી રીતે શિખામણ પણ આપી દીધી કે લોકોના ખિસ્સા ના કાપશો.)
2. જીંદગી ભલે નાની જગ્યાથી શરૂ થાય તો પણ વિરાટતા તરફ આગળ વધી શકાય છે.
3. ભલે ગમે તે કારણોસર શરૂઆતી જીંદગીમાં વિકાસ રૂંધાયો હોય, ગઇ કાલ જે પણ હોય તે પણ હવે જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરો.
4. પોતાના કૌશલ્યને કાયમ વધારતા રહો. નવું શીખતા રહો. સંકલ્પ કરો કે શરૂઆત ડ્રાઇવર કે કંડકટર તરીકે કરુ છું પણ જીંદગી એ જ જગ્યાએ પૂરી નહીં કરું.
5. જીવનમાં સ્થગિતતા ના રાખો એને વહેતું રાખો.
6. AMTS –> BRTS અને Ambulance –> 108 સેવા એ બદલાવનું એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. (BRTSમાં ઘણાં સુધારાની જરૂર છે પણ AMTS કરતા તો સારી જ છે. 108એ પણ ઉત્ત્મ સેવા છે)
7. જનતાની સેવા કરવાનો ભાવ આવે તો કોઇ પણ બદલાવ શક્ય છે.
8. મોદી સાહેબે હુંકાર કર્યો છે કે થોડા વર્ષોમાં તૈયાર થનારા એસટી બસ સ્ટોપો લોકો જોવા આવશે એવા થશે. જોઇએ ક્યારે આ બસ સ્ટોપો બની રહે છે અને કેવા બને છે.
9. એસ ટી બસ સ્ટોપ વિશે જે User Experienceની વાત કરી છે એ ખરેખર યોગ્ય છે. એમનો ડાયલોગ કે "અમુક લોકોને ગરીબીમાં જ મજા આવે છે" એ પણ એકદમ સાચી વાત છે. કોઇ પણ સારી જગ્યા સરકાર બનાવે એટલે તરત જ લોકોને એમાં ખોટા ખર્ચા દેખાવા લાગે. (લોકોના આવા અભિગમ જોઇને મને પણ એ જ સવાલ થાય છે ક્યાં સુધી આપણે આપણા દેશને ચીથરેહાલ જ રાખવો છે??)
10. મોદી સાહેબની એ વાત પણ સાચી છે કે પ્રજાને જો સારુ આપીશું તો અમુક હદ સુધી પ્રજા તેની રખેવાળી કરશે જ. અત્યાર સુધી ભારતની પ્રજાને સરકાર તરફથી કંઇ મળ્યું નથી એટલે એમને કોઇ પણ વસ્તુની કદર નથી હોતી. જે દિવસે પ્રજાને સરકાર તરફથી સુવિધાઓ મળવાની શરૂ થશે એ દિવસે પ્રજા પણ ધીરે ધીરે 100% સુધરશે જ અને મળતી સુવિધાઓના રખરખાવ પ્રત્યે સચેત રહેશે. આ વાત સ્વાનુભવથી કહી રહ્યો છું. સામાન્યથી ઉપર ઉઠવાનું દરેક વ્યક્તિને ગમે જ છે એવું કહેવું ખોટું નથી જ.
11. સાથે સાથે ડ્રાઇવર અને કંડકટર તરીકે પોતાની ફરજોને એકદમ કાર્યદક્ષતા, ઇમાનદારી અને સુરક્ષા સાથે બજાવવાની સલાહ પણ છેલ્લે છેલ્લે ખૂબ સરસ રીતે આપી દીધી.
નેતા એવો હોવો જોઇએ કે જે લોકોને પ્રોત્સાહિત કરી શકે, માર્ગદર્શન કરી શકે દીર્ઘદ્ર્ષ્ટિ સાથે કામ કરે. આપણા દેશની એ કમનસીબી છે કે આવા નેતાઓ આપણે ત્યાં થયા નથી અને જે થયા છે એમને બીજા લુચ્ચા રાજકારણીઓએ આગળ આવવા નથી દીધા.
સારા નેતાઓ મેળવવાની બાબતમાં સિંગાપોર આમ જોવા જઇએ તો નસીબદાર છે. અહીં વર્તમાન પેઢીના નેતાઓ આવનારી પેઢી માટે વીણી વીણીને સારા નેતાઓ શોધી કાઢે છે અને એમને તૈયાર કરે છે. એટલે જ વિશ્વના નક્શા પર ટપકા જેવું સિંગાપોર આજે પણ એક વિકસીત દેશ તરીકે અસ્તિત્ત્વમાં છે. જે લોકો રસ ધરાવતા હોય એમણે સિંગાપોરના પ્રધાનમંત્રીનું ફેસબુક પેજ લાઇક કરવા જેવું છે.
આશા રાખીએ ભવિષ્યમાં ભારતનો સોનિયા અને મનમોહન જેવા વામણા નેતાઓના નેતૃત્વથી બચાવ થાય અને એક સબળ નેતૃત્વ ભારતને પ્રાપ્ત થાય.
Filed under: ઇન્ડિયા, નરેન્દ્રમોદી, રાજકારણ | Tagged: 108, દેશગુજરાત, નરેન્દ્ર મોદી, નેતૃત્વ, સિગાપોર, BRTS | 5 Comments »
જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે ઘણી બિઝનેસ ટ્રીપો કરી કરીને લગભગ આખુ ભારત ફરી વળ્યો હતો. સિંગાપોર આવ્યા બાદ બેગો ભરી ભરીને દોડવાનું બંધ થઇ ગયુ છે અને 8:30થી 5:30ની નોકરીમાં જીંદગી સેટ થઇ ગઇ છે. લગભગ 6 વર્ષ પછી ગયા અઠવાડિયે બિઝનેસ ટ્રીપ પર જવાનું થયું અને આ વખતે સ્થળ હતું ચાઇના. ચાઇના હું પહેલા ક્યારેય ગયો નહોતો એટલે આ ટ્રીપ દરમ્યાન નવા દેશને જોવાની અને ત્યાંના લોકોને સમજવાની મારા માટે એક તક હતી. આ પોસ્ટમાં સિંગાપોરથી ડાલીઆન સુધીની યાત્રા દરમ્યાનના વિચારવાયુને અને અવલોકનોને મૂક્યા છે.
રવિવારે સવારે 10-10 વાગ્યે સિંગાપોરથી શાંઘાઇની ફ્લાઇટનો સમય હતો એટલે સવારે લગભગ 8-15 વાગ્યાની આસપાસ ચાંગી એરપોર્ટ પર પહોંચી ગયો. હોંગકોંગના ખતરનાક અનૂભવ પછી હવે એરપોર્ટ દર વખતે જલ્દી પહોંચી જઉં છું (અંગ્રેજીમાં આના માટે કહેવત છે “once bitten, twice shy” અને ગુજરાતીમાં કહેવત છે કે “દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી કૂંકીને પીએ”) ઇન્ડિયાના એરપોર્ટો પર સમય કંઇ રીતે કાઢવો એ સમસ્યા છે પણ ચાંગી એરપોર્ટ પર એવી કોઇ સમસ્યા નથી. વહેલા પહોંચી કોફી-નાસ્તા પાણી કરો કે પછી window shopping કરો (કારણ કે મને એરપોર્ટ પર શોપીંગ પોષાય એમ નથી :)) અથવા કંઇ ના કરવું હોય તો
Some Sculpture @Changi Airport
હાથમાં રાખેલા ફોનને રમાડો. એરપોર્ટ પર wi-fi connectivity મફતમાં છે એટલે આરામથી સમય પસાર કરી શકો. ઇન્ડિયાના એરપોર્ટો પર આવી સુવિધાઓ ક્યારે આવશે એમ વિચારતા દુખી થઇ જવાય છે. (ડીસેમ્બર 2011 સુધી તો અમદાવાદ અને મુંબઇ એરપોર્ટ પર વ્યવસ્થિત wi-fi connectivity ઉપલબ્ધ નહોતી હવે કદાચ પરિસ્થિતિ બદલાઇ હોય તો ખબર નહીં.) ચાંગી એરપોર્ટને જોઇને કાયમ એજ પ્રશ્ન મને થતો હોય છે કે આપણે ઇન્ડિયામાં ક્યારેય આવા એરપોર્ટો જોઇ શકીશું ખરા? એરપોર્ટ પર સ્વચ્છતા, બધી સામાન્ય સુવિધાઓનો ઉત્તમ રખરખાવ અને યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અપાતી સેવાઓ વગેરે ક્યારેય ઇન્ડિયામાં શક્ય બનશે ખરું? ચાંગી એરપોર્ટ પર જો યાત્રીઓને 0.5 કિમી પણ જો ચાલવાનું હોય કે થોડા દૂરના બોર્ડીંગ ગેટ પર જવાનું હોય તો એના માટે મોનો રેલની અથવા ટ્રાવેલેટરની વ્યવસ્થા હોય છે જ્યારે આપણે મોનોરેલની દોડાવવાની વાત દૂર રહી એક મોનોરેલનો બ્રીજ પણ બરાબર નથી બનાવી શકતા. બીજી સુવિધાઓની વાત તો જવા દો બાથરૂમના નળમાં વ્યવસ્થિત પાણી આવે એટલું પણ નથી કરી શકતા (બાથરૂમમાં હાથ ધોવા સાબુ હોવો કે સ્વચ્છતા હોવી એ તો બહુ દૂરની વાત છે). મુંબઇના Interntational Terminalથી Domestic Terminal પર યાત્રીઓને લઇ જવા માટે એક પ્રોફેશનલ બસ સર્વિસ પણ પૂરી નથી પાડી શકતા. આ બધું ઉભું કરવામાં કોઇ Rocket Science સમજવાની જરૂર નથી આ બધી માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં ખાલી સામાન્ય બુધ્ધિ વાપરવાની જરૂર છે અને ભ્રષ્ટાચારને બાજુએ રાખીને ઇચ્છાશક્તિથી કામ કરવાની જરૂર છે પણ કમનસીબે ઇંન્ડિયામાં આ જ વાતનો અભાવ છે. બે વર્ષ પહેલા સુધી અમદાવાદ એરપોર્ટ પર જો બે ફ્લાઇટ એક સાથે આવી ગઇ હોય તો આવેલા પ્રવાસીઓને એક જ છત નીચે ઉભા રાખી શકે એવું બિલ્ડીંગ પણ નહોતું. મુસાફરો ડિસેમ્બરની રાતની કડકડતી ઠંડીમાં ખુલ્લી ગટરોના સંસર્ગમાં લાઇન લગાવીને બહાર ઉભા રહેતા અને જ્યારે વારો આવે ત્યારે અંદર બિલ્ડીંગમાં જઇને ઇમીગ્રેશનની વિધિ પૂરી કરતા. મોદી સાહેબ જાપાની મૂડી રોકાણ વધારવા માટે જાપાન આંટાફેરા મારે છે પણ બે વર્ષ પહેલા મેં મારી સાથે ફ્લાઇટમાં આવેલા જાપાની રોકાણકારોને ગટરની ખુલ્લી લાઇનો જોઇને મોં બગાડતા જોયા છે. જો એરપોર્ટ પર ઉતર્યા બાદ પહેલી જ impression આવી પડે તો કોઇ રોકાણકારને રોકાણ કરવાનું મન થાય ખરું? હવે નવું એરપોર્ટ બનવાથી અમદાવાદની પરિસ્થિતિ થોડી સુધરી છે પણ મુંબઇ એરપોર્ટનો તો ભગવાન માલિક છે…
સિંગાપોરથી અમારી China Eastern Airlinesની ફ્લાઇટ હતી. ફ્લાઇટ સમયસર ઉપડી ખરી પણ સમયસર પહોંચી નહીં. અમને લગભગ 40 મિનીટ મોડા શાંઘાઇ પહોંચાડ્યા. China Eastern Airlinesની એર હોસ્ટેસો જોઇને પારાવર દુખ થયું. ચાઇનમાં જોઇએ એટલી નમણી નારો મળી રહે તેમ છતાં પણ અમારી ફ્લાઇટની બધી એર હોસ્ટેસો આપણી Air Indiaની એર હોસ્ટેસોને પણ સારી કહેવડાવે એવી હતી. (હશે નસીબ નસીબની વાત:)) જો કે In Flight service સારી હતી. ફ્લાઇટમાં in flight entertainmentની સુવિધા નહોતી. (સિંગાપોર એરલાઇન્સમાં તમે
China Eastern Airlines’ Flight
મુસાફરી કરતા રહેતા હો તો એનો આ ગેરફાયદો… તમારી આદતો બગડી જાય :)) મારી આશાથી વિપરીત વિમાનમાં મને અપાયેલું શાકાહારી ભોજન ઠીક ઠાક હતું. (આપણે આપણી આશાઓ ઓછી કરી નાંખીએ તો જીવનમાં કેટલો સંતોષ વધી જાય નહીં? :)) ફ્લાઇટમાં અમુક ચાઇનીઝોએ એમની coutesyless વર્તણૂંકનો પરચો આપી દીધો પણ એ મારા માટે expected હતું એટલે વધુ નવાઇ ના લાગી. છેવટે લગભગ 4 વાગ્યાની આસપાસ અમે શાંઘાઇ પહોંચ્યા.
શાંઘાઇ એરપોર્ટ પર જેવો એરોબ્રીજમાંથી હું બહાર નીકળ્યો ત્યાં એક માણસને હાથમાં કાગળ લઇને ઉભેલો જોયો એમાં લખ્યું હતું કે યાત્રીઓએ પોતાનો સામાન ક્યા બેલ્ટ પરથી લેવાનો. સિંગાપોરમાં ફ્લાઇટ જ્યારે લેંડ થવાની હોય ત્યારે ફ્લાઇટમાં જ જાહેરાત થઇ જાય કે સામાન ક્યા બેલ્ટ પર આવશે જ્યારે અહીં આવી વિચિત્ર પ્રથા. કદાચ Labor sensitive દેશોમાં આવું જ હશે એમ લાગ્યું. શાંઘાઇ એરપોર્ટ મને બહુ સામાન્ય લાગ્યું. મોટું છે પણ એમાં એક પણ વાત ઉડીને આંખે વળગે એવી ના લાગી. માળખાગત સુવિધાઓના ફરકને નજરઅંદાજ કરીએ તો મુંબઇ અને શાંઘાઇ એરપોર્ટ બન્ને સરખા લાગ્યા. સામાન આગળની યાત્રા માટે સીધો જ ટ્રાન્સફર થવાનો હોવાથી અમે Domestic Terminal તરફ રવાના થયા કારણ કે ત્યાંથી અમારે ડાલીઆન માટે ફ્લાઇટ લેવાની હતી. મેં થોડા એરર્પોર્ટ પર આંટા ફેરા માર્યા પણ
Shanghai Airport at glance
કંઇ ધ્યાનાકર્ષક લાગ્યુ નહીં. જો કે એરપોર્ટ પર આંટાફેરા મારતા એક વાતની મને ખબર પડી ગઇ કે Apple શા માટે આજની તારીખમાં દુનિયાની Most Valued કંપની છે? એરપોર્ટ પર લગભગ દરેક વ્યક્તિના હાથમાં iPhone/iPad હતા.(આ વાતની એરપોર્ટથી બહાર આવ્યા બાદ પણ પુષ્ટિ થઇ) હવે જ્યારે દુનિયાના સૌથી વધૂ વસ્તી ધરાવતા દેશમાં કોઇ કંપનીનો આટલો મોટો market share હોય તો એ કંપની બિલીયન ડોલર્સમાં કમાવાની જ છે ને. શાંઘાઇથી ડાલીઆન માટેની અમારી ફ્લાઇટ સાંજના 6-10 વાગ્યે હતી. બરાબર 6-10 વાગ્યા સુધીમાં બધા યાત્રીઓ વિમાનમાં ગોઠવાઇ ગયા હતા અને 6-15ની આસપાસ વિમાને ટેક ઓફ માટે રન વે પર આગળ વધવાનું શરૂ પણ કર્યું. ટેક ઓફ પહેલા વિમાન અચાનક જ સ્થિર થઇ ગયું અને થોડી વાર પછી વિમાનમાં જાહેરાત થઇ કે વિમાન ખોટા રનવે પર ચઢી ગયું છે એટલે ટેક ઓફ કરતા ટાઇમ લાગશે. બધાં પેસેંજરો બિચારા વિમાનમાં ભરાઇ ગયા. હવે બીજા રનવેથી ટેક ઓફ કરવા માટે જ્યાં સુધી એ રન વે પર લેન્ડ થનારી બીજી ફ્લાઇટો લેન્ડ ના થાય ત્યાં સુધી રાહ જોવી રહી. છેવટે 7-15 વાગ્યે એટલે નિયત સમય કરતા 1 કલાક અને 5 મિનીટ મોડા અમારા વિમાને ઉર્ધવગમન કર્યું. એરપોર્ટના રનવે પર અટવાયેલો હતો ત્યારે મેં બીજી એક વાત નોંધી કે ત્યાં રન વે પર બાકાયદા ટ્રાફિક સિગન્લની સિસ્ટમ હતી. એટલે કે જો કોઇ વિમાન રનવે પર જતું હોય તો બીજા વાહનો માટે લાલ લાઇટ હોય એટલે એ વાહનો ઉભા રહે જ્યાં સુધી વિમાન ના જાય ત્યાં સુધી. આ મને થોડી ખતરાજનક વાત લાગી. ના કરે નારાયણને સાલું કોઇ વાહનચાકલનું મગજ ફટક્યું અને વિમાનમાં વાહન ઘૂસાડી દે તો મારામારી થઇ જાય ને? (ડેનવરમાં “The Dark Knight Raiser”ના સ્ક્રિનીંગ દરમ્યાન ગોળીબારનો કિસ્સો હજુ તાજો જ હતો એટલે આવા વિચારો આવે એ સ્વાભાવિક છે). લગભગ 8:45ની આસપાસ અમે ડાલીઆન પહોંચ્યા. એરપોર્ટ મને શાંઘાઇ કરતા થોડું સારુ લાગ્યું પણ ત્યાની લગેજ માટેના converyor beltની સિસ્ટમ થોડી વિચિત્ર લાગી. સૌ પ્રથમ મેઇન બેલ્ટ પર લગેજ આવતો હતો અને ત્યાંથી એક ઢાળ પરથી સામાન નીચે લગેજ બેલ્ટ પર લપસીને આવતો હતો જેને કેચ કરવા માટે 🙂 એક લેડી ત્યાં ઉભી હતી એટલે સામાન આંચકા સાથે દિવાલ પર અથડાય નહીં અને એ લેડી લગેજને કેચ કરીને લગેજ બેલ્ટ પર બરાબર ગોઠવતી હતી. આવી ગોઠવણ કેમ મને ના સમજાયું. હવે આ ગોઠવણમાં Fragileના સ્ટીકર લગાવેલા સામાનો પણ આવતા હતા. અમુક ખોખામાં આવેલા સામાનો ફાટેલા પણ મેં જોયા. ટૂંકમાં Fragileનું સ્ટીકર તમે તમારા મનના સંતોષ માટે જ લગાવ્યું હોય એવી વ્યવસ્થા હતી.
એરપોર્ટ પર બહાર નીકળતા જ ચાઇનીઝ તહેઝીબનો અનૂભવ થઇ ગયો. લોકો ટેક્ષીની લાઇનમાં ઉભા ઉભા બીજા લોકોની પરવા કર્યા વિના બિંદાસપણે ધૂમ્રપાનનો આનંદ લઇ રહ્યા હતા. વળી એક બે નહીં પણ 3-4 જણા આ ભગીરથા કાર્યમાં લાગ્યા હતા. આ જોઇને મને મલેશિયાનું એરપોર્ટ યાદ આવી ગયું. ત્યાં પણ આ જ હાલત છે. આ એક બાબતે કદાચ આપણે ભારતીયો કદાચ સારા છીએ. રાત્રે લગભગ 9:30 વાગ્યે અમે હોટેલ પર પહોંચ્યા. એરપોર્ટથી ટેક્ષીમાં હોટલ જવામાં લગભગ 20-25 મિનીટ જેવો સમય લાગ્યો. રસ્તા થોડા ભીના હતા એટલે લાગ્યુ કે થોડા સમય પહેલા વરસાદ પડ્યો હશે. વાતાવરણ એકદમ ઠંડુ હતુ અને ટેક્ષીમાં બેઠા બેઠા ઠંડા પવનના સપાટા ખાવાની મઝા આવી કારણ કે સિંગાપોરમાં આવી હવા ભાગ્યે જ ખાવા મળે. ટૂંકમાં દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું અને એમ થયું કે હોટેલ થોડી દૂર હોય તો સારુ તો થોડી વધૂ ઠંડી હવા ખાવા મળે :).
અમારી હોટેલ હતી “Howard Johnson Parkland Hotel”. હોટલ પર પહોંચ્યા બાદ ચેક ઇન કરી લીધું. ચેક ઇન કાઉંટર પર પણ લોકોને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હતી. મારી સાથે ઓફિસના બીજા બે સિંગાપોરના ચાઇનીઝો હતા એટલે એમણે બધી વિધિ મારા વતી પતાવી દીધી. હોટેલ પંચતારક હોવાથી બધી જોઇતી સુવિધાઓ રૂમમાં ઉપલબ્ધ હતી. સૌથી સારી વાત એ કે મફતમાં wi-fi સુવિધા પણ હતી પણ સ્પીડ ધીમી હતી. જો કે સ્પીડ કરતા પણ મોટી સમસ્યા એ હતી કે ફેસબુક, ટ્વીટર, વર્ડપ્રેસ, ગુગલ+ બધું blocked હતું (first test of censorship) એટલે ખાલી મેઇલ ચેક કરી શકો અથવા કોઇ ટાઇમ્સ ઓફ ઇંડિયા જેવા સમાચારપત્રો વાંચી શકો. ટીવીમાં અમુક મૂવી ચેનલો અને બીજી ચાઇનીઝ ચેનલો આવતી હતી પણ મને એમાં બહુ રસ ના પડ્યો. આખા દિવસનો મુસાફરીનો થાક હતો એટલે તરત પથારીમાં લંબાવ્યું અને સમાધી લગાવી.
ચાઇના મુસાફરી દરમ્યાન કરેલા બીજા અવલોકનો, વધૂ માહિતી અને ફોટા માટે બીજી પોસ્ટ લખવાનો વિચાર છે. (Time Permitting ) …..
Filed under: ચાઇના ડાયરી, પ્રવાસ વર્ણનો | Tagged: અમદાવાદ, ચાંગી એરપોર્ટ, ચાઇના, જાપાન, ડાલીઆન, ફ્લાઇટ, બિઝનેસ ટ્રીપ, મુંબઇ, મોનો રેલ, શાંઘાઇ, સિંગાપોર, China Eastern, Howard Johnson Parkland Hotel, wi-fi | 2 Comments »
આવતા રવિવારે 5 દિવસની ટૂંકી બિઝનેસ ટ્રીપ પર ચાઇના જવાનું છે. ચાઇનામાં Dalian શહેરમાં જવાનું છે. Dalian શહેરમાં અમારી કંપનીની ઓફિસ છે. Dalianમાં ઘણી બધી વિદેશી કંપનીઓની ઓફિસો છે અને ત્યાં સોફ્ટવેરપાર્ક પણ ખૂલેલા છે. આ કારણે Dalianમાં Expat એટલે કે પચરંગી પ્રજા ઘણી છે.
પહેલી વખત ચાઇના જઇ રહ્યો છું પણ મારા જેવા સિંગાપોરના રહેવાસીને ચાઇના બહુ અલગ નહીં લાગે એવું લાગે છે. મારા જેવા શુધ્ધ શાકાહારી માણસને ખાવા પીવાની ભરપૂર તકલીફ પડવાની સંભાવના છે પણ હોટલમાં સવારના વેસ્ટર્ન નાસ્તા થકી કામ ચાલી જશે એવું લાગે છે. જ્યાં રોકાવાનું છે એ હોટલમાં દર સોમવારે Indian Buffet Meal ઓફર કરાય છે એવું વેબસાઇટો પર રિવ્યુમાં લોકોએ લખ્યું છે. જો આ વાત સત્ય હોય તો સારુ. બાકી ગુજ્જુભાઇઓના કાયમી સંગાથી એવા થેપલા તો લઇ જ જવાના છે. 🙂
જ્યાં રહેવાનું છે એ હોટલ સારી છે અને એની આજુબાજુનો વિસ્તાર સારો છે. હોટલની પાસે જ બીચ છે એટલે સાંજે ઓફિસેથી આવ્યા પછી ઠંડી હવા ખાવા બીચ પર જઇ શકાય. સૌથી સારી વાત એ છે કે વર્ષના આ સમય દરમ્યાન Dalianમાં તાપમાન 20 – 30 ડિગ્રી સે. જેટલું જ રહે છે એટલે મારા જેવા ગરમીથી અકળાયેલા માણસો માટે થોડી રાહત રહેશે. બીજે ક્યાં ક્યાં ફરવા જવું એ હજી નક્કી નથી કર્યું. કદાચ ત્યાં પહોંચ્યા પછી હોટલમાંથી વધૂ માહિતી લઇને ક્યાં જવું એ નક્કી કરીશું.
Itineraryમાં Singapore – Shanghai – Dalianનો રૂટ છે. સવારના 10 વાગ્યે સિંગાપોરથી ફ્લાઇટ છે જે મને Dalian રાત્રે 8 વાગ્યે પહોંચાડશે. 7 કલાક હવામાં કાઢવાના છે અને મને એનો સૌથી વધૂ કંટાળો છે. હવાઇ મુસાફરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તમે વારે ઘડીએ પગ છૂટો કરવા ના જઇ શકો. પગ છૂટો કરવા જવું હોય તો પણ બીજા બે જણાને હેરાન કરવા પડે એટલે એ મોઢા બગાડે અને વિમાનની નાની જગ્યામાં આંટા ફેરા મારો તો વિમાન પરિચારીકા મોઢા બગાડે. 🙂 શાંઘાઇમાં વચ્ચે ત્રણ જ કલાકનું રોકાણ છે એટલે બહાર ક્યાંય જઇ નહીં શકાય પણ ત્યાં એરપોર્ટ પર હરી ફરીને થોડું duty free શોપિંગ કરવાનો વિચાર છે. પાછા ફરતી વખતે પણ આજ રૂટ છે.
આમ તો મોટા ભાગના ખર્ચા ક્રેડિટ કાર્ડથી જ પતાવવાના છે તો પણ આજે યાત્રા માટે જરૂરી એવું વિદેશી હૂંડિયામણ લઇ લીધું. એક સિંગાપોર ડોલરના હાલમાં 5 યુઆન મળે છે. 1 યુઆન એટલે લગભગ 9 ભારતીય રૂપિયા થાય.
ચાઇનાથી પાછા આવ્યા બાદ નવા દેશના નવા અનૂભવો વિશે લખીશ. ચાઇનાની આ યાત્રા સાથે એશિયાના માંધાતા ગણાતા બધા દેશોમાં (કોરિયા અને જાપાન સિવાય) મારો થપ્પો પૂરો થઇ જશે.
Filed under: રોજનીશી | Tagged: ચાઇના, થેપલા, યુઆન, સિંગાપોર, Dalian, Expats, Shanghai | 5 Comments »