Archive

Archive for March 23, 2009

Too bad…. Bombay’s loss has been Singapore’s gain… શોભા ડે

March 23, 2009 krunalc 1 comment

વીકએન્ડમાં આ વખતે તબિયત થોડી ઢીલી હતી એટલે ક્યાંય બહાર નહોતો ગયો અને કશું વાંચનનું ભગીરથા કાર્ય પણ હાથમાં નહોતું લીધું. હવે ઘરમાં પડ્યા પડ્યા શું કરવું એટલે ઇત્તર વાંચન કરવાનું નક્કી કર્યું. આમ પણ મને છાપા, મેગેઝીન કે અમુક પ્રકારના પૂસ્તકો વાંચવાનો બહુ શોખ છે પણ હવે સમયના અભાવે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ઇ પેપર) પણ રોજ પૂરું વાંચી નથી શકાતું. એટલે વાંચવાની શરૂઆત ટાઇમ્સથી કરી. શનિવારના પેપરમાં આ વખતે “New Age – Redefining India” એક ખાસ સેક્શન હતો જેમાં જુદા જુદા ક્ષેત્રની સિધ્ધહસ્ત હસ્તીઓ એ બીજા ક્ષેત્રની હસ્તીઓ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મઝા આવી ગઇ વાંચવાની. આવા intellect વાળા લખાણો વાંચવાના મને બહુ ભસ્કા છે.  :) ટાઇમ્સ અને મુંબઇ મીરર વાંચીને ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરને ન્યાય આપ્યો અને પછી દેશ ગુજરાત પર નમોના અમુક ભાષણો સાંભળ્યા. હવે શું?

એટલામાં મને યાદ આવ્યું કે હું લાયબ્રેરીમાંથી એક મેગેઝીન લાવ્યો છું. અહીંની લાયબ્રેરીમાં કોઇ ઇન્ડિયાના અંગ્રેજી મેગેઝીનો નથી આવતા પણ અમુક ઇન્ડિયાને લગતા મેગેઝીનો આવે છે. એમાંથી આ વખતે "ઇન્ડિયા સે" મેગેઝીન હું લાવ્યો હતો. "ઇન્ડિયા સે" એનઆરઆઇ વાચકોને ધ્યાનમાં રાખીને જ છપાતું મેગેઝીન છે. અમુક લેખો આ મેગેઝીનમાં વાંચીને મઝા આવી ગઇ. એમાં એક લેખ શોભા ડે નો પણ હતો “Too bad…. Bombay’s loss has been Singapore’s gain”. આ લેખ લખાયો છે મુંબઇની બારબાલાઓ વિશે જેમને પાટીલ ભાઉએ મુંબઇમાંથી બહાર જવા મજબૂર કરી દીધી હતી. જો કે આ લેખ એમ કહેવા માંગે છે કે જે થાય છે એ સારા માટે જ થાય છે. મુંબઇની હાંકી કાઢેલી બારબાલાઓમાંથી અમુક સિંગાપોર આવી ગઇ છે અને ઇજ્જત સાથે ડોલરિયા દેશમાં આવીને ડોલરમાં કમાવા લાગી છે અને હું આ લેખ સાથે બિલકુલ સહમત છું. અહીં કલાર્ક કી વિસ્તારમાં અમુક મુંબઇ ટાઇપના ડાન્સ બાર ચાલે છે જો કે એની સરખામણી મુંબઇ સાથે ના થઇ શકે પણ "ના મામાના બદલે કાણા મામા સારા" ના ધોરણે એકદમ બકવાસ પણ ના કહી શકાય. જે બારબાલાઓ અહીં આવી શકી એમના માટે તો સારુ જ છે કારણ કે એક તો ઓનસાઇટ આવી ગઇ :) , ખાલી પોતાના ડાન્સ પર જ ધ્યાન રાખવાનું કોઇ પ્રકારની છેડતી કે દારૂડિયાઓની કનડગતનો કોઇ પ્રશ્ન નહીં, ડોલરમાં કમાવાનું અને સન્માનભેર જીવવાનું. અહીં મુંબઇ કરતા તો થોડી decency રહેવાની જ. શોભા ડે એ મને લાગે છે ત્યાં સુધી એકદમ balacned લેખ લખ્યો છે.  પાટીલ ભાઉ એ તો મુંબઇની નાઇટ લાઇફની વાટ લગાવી જ દીધી પણ કેટલીક બારબાલાઓની જીંદગી રોશન થઇ ગઇ.

"ઇન્ડિયા સે" વાંચવાની ખરેખર મઝા આવી ગઇ. હવે નિયમિત રીતે લાયબ્રેરીમાંથી આ અને બીજા અમુક મેગેઝીન લાવીને વાંચવા પડશે. જો કે એક વસવસો છે કે અહીં કોઇ ઇન્ડિયાના સંદર્ભમાં કોઇ બિઝનેસ મેગેઝીન નથી આવતા જો બિઝનેસ મેગેઝીનો મળી જાય વાંચવા તો લાઇફ બની જાય….

All n all it was a perfect week end for me where i could do what I like most… hoping for many such weekends :)

P.S. – શોભા ડે ના લેખની અપાયેલી લિંક પરથી લેખ સાઇટ પર રજીસ્ટર કરીને જ વાંચી શકાશે. જો કે રજીસ્ટર કરાવીને પણ લેખ મારા મતે વાંચવા જેવો તો છે જ. રજીસ્ટર કરાવીને પેજ નંબર 58 પર જઇને લેખ વાંચી શકાશે.

આ માણસોને શું કહેવું હવે……

March 23, 2009 krunalc 7 comments

આપણા મુખ્યમંત્રી મોદી સાહેબ બહુ બહાદુર. જેવી આઇપીએલ બહાર રમાડવાની વાત જાહેર થઇ તરત જ મોદી સાહેબને એક તક મળી ગઇ યુપીએ સરકારને ભાંડવા માટે અને એલાન કરીદીધું કે આઇપીએલ દેશ બહાર રમાડવી એ તો શરમજનક કહેવાય. સાથે સાથે એમ પણ કહી દીધું કે ગુજરાતમાં સંપૂર્ણ સુરક્ષા વચ્ચે આઇપીએલની બધી મેચો રમાડવા માટે ગુજરાત તૈયાર છે. એક વખત તો આપણા મોદી સાહેબ માટે માન થઇ જાય. જો તક મળી હોત તો મારુ દ્રઢ રીતે માનવું છે કે મોદીએ ચૂંટ્ણીની સાથે સાથે આઇપીએલ રમાડીને પણ બતાવી દીધી હોત. જો કે દેશનું દુર્ભાગ્ય છે કે બધાં બાયલા રાજકારણીઓની જમાત દેશ પર રાજ કરે છે અને આગલી ચૂંટણીમાં પણ આજ બાયલા લોકો ફરીથી 5 વર્ષ માટે રાજ કરવા માટે પ્રજાની મંજૂરી લઇ આવશે.

જો કે આના કરતા પણ વધૂ દુ:ખ અને આઘાત મને આ નિવેદન વાંચીને થયું. ચિદમ્બરમ સાહેબ આપણા માનનીય ગૃહપ્રધાન સાહેબ એમ માને છે કે આઇપીએલ બહાર યોજવી એ કોઇ શરમજનક નથી પણ ગુજરાતના તોફાનો શરમજનક છે. આ જાડી ચામડીના માણસને હવે શું કહેવું? આખી વાતમાં ગુજરાતના તોફાનો ક્યાં આવ્યા? જ્યારે મોદીના સવાલોનો જવાબ ના આપી શકો એટલે ગુજરાતના તોફાનોનું ગાણું ગાવાનું ચાલુ કરી દેવાનું. મને ખરેખર દુ:ખ થાય છે કે આવા નિર્લજ્જ, નાગા અને જાડી ચામડીના લોકો દેશ પર રાજ કરી રહ્યા છે. કોઇ accountability જેવું હોય જ નહીં? પોતાની લીટી મોટી નહીં કરવાની પણ બીજાની લીટી નાની કરીને મોટા થવાનું.

આજે આઇપીએલ બહાર રમાશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ફરક રહી જશે? પાકિસ્તાનમાં પણ સુરક્ષાના કારણોસર ક્રિકેટ નથી રમાતું એમ ઇન્ડિયામાં પણ સરકારની રેઢિયાળ વૃત્તિના લીધે હવે ક્રિકેટ નહીં રમાય. મને જેટલો ગુસ્સો ચિદમ્બરમ પર આવે છે એટલો જ ગુસ્સો લલિત મોદી, શરદ પવાર અને BCCI ની  પૈસાભૂખી ટોળકી પર પણ આવે છે. સાલાઓ પૈસા માટે થઇને દેશની આબરૂના ધજાગરા કરવા નીકળ્યા છે.