ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 11 અને 16મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. આ ચૂંટણી જો કોઇ માટે સૌથી વધારે મહત્વની હોય તો એ છે નરેન્દ્ર મોદી માટે. નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણી પ્રતિષ્ડાનો જંગ છે.
જો ભાજપ જીતશે તો નરેન્દ્ર મોદીને ભાજપમાં તો સોટ્ટા પડી જ જશે સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએ પણ સિક્કો જામી જશે. મોદી કદાચ આજની તારીખમાં સૌથી વિવાદાસ્પદ મુખ્યમંત્રીઓમાંના એક છે.
મોદી સાહેબની કાર્યપધ્ધતિ એકદમ અલગ છે. લોકો કહે છે કે મોદી સરમુખ્ત્યારની જેમ રાજ કરે છે. પણ અત્યારે મારા ખ્યાલથી સરમુખ્ત્યારની જ જરૂર છે. કેશુભાઇના રાજમાં કોઇ ધારાસભ્ય પણ કેશુભાઇને ગણતા નહોતા અને હજૂરિયા – ખજૂરિયાના ઝઘડા ચાલતા રહેતા હતા અને ગુજરાતમાં બહુ પ્રગતિ નહોતી. આજે મોદીના રાજમાં કોઇ મંત્રી કે ધારાસભ્ય ચૂ ચા નથી કરી શકતો. વિકાસના અમુક કામો જે ગુજરાતમાં થયા છે એ ખૂબ સરાહનીય છે.
સૌથી અગત્યની વાત મને જે લાગે છે એ છે સુરક્ષાની. આજે ગોધરાકાંડ અને એના પછીના તોફાનો બાદ પણ ગુજરાતમાં એક પણ આતંકવાદી હુમલા નથી થયા. જ્યારે કોંગ્રેસના શાસનવાળા રાજ્યોમાં એટલે કે મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, આસામ વગેરેમાં છાશવારે બોંબધડાકામાં લોકો મરતા હોય છે. જે અમદાવાદમાં વર્ષમાં 2-3 વખત કોમવાદી તોફાનો થતા અને કર્ફયુ લાગતા હતા એ 5 વર્ષમાં એક વખત પણ તોફાનો નથી થયા અને કર્ફ્યુ નથી લાગ્યો. જે એક વખત આંખ લાલ કરવાની હતી એ મોદીએ ગોધરા પછીના તોફાનોમાં કરી દીધી છે. કોંગ્રેસની સરકારની લઘુમતીઓને છાવરવાની નિતીના દિવસો ગયા એટલે જ કદાચ બધું શાંતિમય ચાલી રહ્યું છે આજની તારીખમાં.
વ્યક્તિગત રીતે હું એવું ઇચ્છું છું કે મોદીને બીજી વખત તક મળે અને ગુજરાત જે વિકાસની રાહે પા પા પગલી કરી રહ્યું છે એ પોતાના મજબૂત પગ પર દોડવા માંડે.
આ વખતે પણ મારાથી મત નહીં આપી શકાય. 30 વર્ષ થઇ ગયા હજી સુધી કોઇ દિવસ મત આપવાનો અવસર જ નથી મળ્યો પછી એ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય. દરેક વખતે અમદાવાદની બહાર જ રખડતો હોઉ છું. ખબર નહીં ભારતીય નાગરિક તરીકે મત આપવાનો હક ક્યારેય હું વાપરી શકીશ કે નહીં?
જીતેગા ગુજરાતની એક એડ નીચે છે…
મોદી અને ભાજપ જીતે એવી શુભેચ્છા….
Filed under: રોજનીશી


