સિંગાપોર જ્યારે એક વર્ષ પહેલા આવ્યો હતો ત્યારથી આજ સુધીમાં ઘણું બદલાઇ ગયું છે. સિંગાપોરની વસ્તી આમ તો 40 લાખની આસપાસ છે. પણ સિંગાપોર સરકાર હવે પ્રયત્નશીલ છે કે સિંગાપોરની વસ્તી (સિટીઝનશીપ ધરાવતા લોકો)ને 60 લાખની આસપાસ પહોંચાડવી. આ માટે સિંગાપોર સરકારે ઇમીગ્રન્ટ લોકો માટે દરવાજા ખૂલ્લા મૂકી દીધાં છે. મેં આજ સુધી એવું નથી સાંભળ્યું કે સિગાપોર સરકારે કોઇનો એમપ્લોયમેન્ટ પાસ કે વર્ક પરમીટ રીજેક્ટ કરી હોય. યેન કેન પ્રકારેણ વસ્તી વધારવાનું ધ્યેય છે. આવેલા લોકોને ત્યાર બાદ પરમેનન્ટ રેસિડેન્ટશીપ લેવા માટે પ્રોત્સાહિત કરવા અને જેમની પાસે પરમેનન્ટ રેસિડેન્ટશીપ છે એમને લાલ પાસપોર્ટ લેવા માટે પ્રોત્સાહિત કરવા.
સિંગાપોરનો આર્થિક વિકાસ સારો રહ્યો છે તાજેતરમા જેથી કરીને લોકો પણ અહીં આવવા માટે આકર્ષાય છે. અહીં સિંગાપોર સરકાર દ્વારા લોકોની સારી કાળજી પણ લેવાય છે. એટલે આમ જોવા જઇએ તો લોકો અહીં આવવા પડાપડી ના કરે એવું કશું નથી. પણ જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ ધીરે ધીરે પ્રશ્નો આગળ આવતા જાય છે. પ્રોપર્ટી માર્કેટમાં તો બરાબર આગ લાગી છે. સારું મકાન 1000 ડોલરમાં મળવું એ એક સ્વપ્ન થઇ ગયું છે. પાછલા વર્ષ કરતા દરેક વ્યક્તિ 25-30% વધારે મકાનના ભાડા પેટે આપી રહ્યો છે. 5% થી વધી GST હવે 7% થઇ ગયો છે એટલે દરેક વસ્તુ 2% વધુ મોંધી થઇ જશે. વધતી વસ્તીનો લોડ અહીંની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પણ વર્તાઇ રહ્યો છે. અહીં પણ હવે લોકો મુંબઇ જેવું કરતા થઇ ગયા છે. ટ્રેનમાં બેસવાની જગ્યા મળે એટલે પીક અવર્સ દરમિયાન જેમ મુંબઇમં લોકો પહેલા વિરાર જાય અને ત્યાંથી બેસીને ચર્ચગેટ જાય છે એમ અહીં પણ લોકો ટેમ્પીનીસથી પાસીર રીસ જાય છે અને પાસીર રીસથી ટ્રેનમાં બેસીને સીટી એરિયામાં જોબ કરવા માટે જાય છે. સાંજના ટાઇમે બુગીસ કે રેફલ્સથી ટ્રેનમાં બેસવું એ એક મોટો પ્રોજેકટ છે. મુંબઇના લોકલ ટ્રેન જેવી જ હાલત હવે ધીરેધીરે સિંગાપોરના લોકલ ટ્રેનની પણ થઇ રહ્યી છે. જો બસમાં પણ સાંજે મુસાફરી કરો તો ટ્રાફીકની સમસ્યા છે. 3-4 કિમીની મજલ કાપવામં પણ અડધો કલાક થઇ જાય છે.
વધતી જતી વસ્તીના લીધે સમસ્યાઓ સર્જાવાની જ છે અને સિંગાપોરની જાગૃત સરકાર આના વિશે જરૂર કંઇ વિચારતી જ હશે.
લોકોના અભિપ્રાયો